ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૯

જ્ઞાન-સમજણ

છેલ્લા પ્રકરણનું ચોવીસમું વચનામૃત વંચાવીને કહ્યું જે, શ્રવણ વિના જ્ઞાન ન થાય ને જ્ઞાન થાય ત્યારે તો સર્વે સૂઝવા માંડે જે, આ કરવા યોગ્ય ને આ કરવા યોગ્ય નથી. પણ જેને જ્ઞાન નથી તેને કાંઈ ખબર નથી. જેમ આંધળો હોય તેને ચાલ્યાની ખબર નથી પણ જે દેખતો હોય તેને ખબર પડે ખરી. માટે જ્ઞાન વિના તો આંધળા છે. (૪)

પ્રકરણ/વાત: ૧૦/૨૭૮

Vat Selection


Type: Keywords Exact phrase