ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૯

જ્ઞાન-સમજણ

ઉધો સંત સુખી રે સંસારમેં, ઓર સબે જગ જરત નિરંતર તીન તાપકી આગમેં, એ કીર્તન બોલાવીને કહ્યું જે, આમાં કહ્યું તે પ્રમાણે વરતે તો સર્વે કરી રહ્યા છે. પછી પહોંચે તેજ અંબારમેં, એ બોલ્યા ને તેનો અર્થ કર્યો જે, અક્ષરરૂપ થાય ત્યારે મહારાજને વરણીય થવાશે. ને દોષ માત્ર નહિ રહે. ભીમનાથથી તે પાવાગઢ સુધી ક્યાંઈ પાણા ન આવે તેમ અક્ષરરૂપ થવામાં દોષ કે માયાનું કાર્ય જ નથી ને તે માયાપર કહેવાય. તે વિના નિયમ અણિશુદ્ધ ખરેખરાં પાળે તો પણ એ આત્મરૂપ કહેવાય ને તેમાં પણ માયા પ્રવેશ ન કરે. ને સાધારણ હરિભક્ત હોય તેને પાંચ દોષ છે તે પાંચ પર્વત જેવા છે ને એકાંતિકને પંચવિષય સંબધી રમણીય પદાર્થ તથા આ દેહ તે અંતરાયરૂપ છે, ને બરોબર કાયદે રાખે તો સહાયરૂપ છે. ભગવાનના ધામમાં આઠ આવરણને ભેદે ત્યારે જવાય. તે આઠ આવરણ, પ્રથમ પૃથ્વીનું આવરણ તેની માત્રા ગંધ છે. તે બ્રહ્માંડમાં જેટલાં ગંધ માત્ર છે તેમાં વૃત્તિ ન તણાય એટલે પૃથ્વીનું આવરણ ઉલંઘાણું. બીજું આવરણ જળ ને તેની માત્રા રસ છે. તેને આશરીને જેટલાં પદાર્થ રહ્યા છે તે ક્યાંઈ ન લોભાઈ એટલે જળનું આવરણ ઉલંઘાણું. ત્રીજું આવરણ તેજ છે, તેની માત્રા રૂપ છે. તે બ્રહ્માંડમાં રૂપ માત્રમાં વૃત્તિ ન તણાય એટલે તે આવરણ જીતાણું. ચોથું આવરણ વાયુ છે, તેની માત્રા સ્પર્શ છે. તે બ્રહ્માંડમાં જેટલા સ્પર્શ માત્ર છે તેમાં આસક્ત ન થાય તો વાયુનું આવરણ જીતાણું. પાંચમું આવરણ આકાશ ને તેની માત્રા શબ્દ છે. તે કોઈ શબ્દે કરી અંતર ન ભેદાય તો આકાશનું આવરણ જીતાણું. અને છઠું આવરણ અહંકાર છે. તે રજ, તમ અને સત્ત્વ એ ત્રણે ગુણ થકી પર ગુણાતીત વર્તે એટલે ત્રણે ગુણમાં ન લેવાય, તે અહંકારનું આવરણ ભેદ્યું કહેવાય. સાતમું આવરણ મહત્તત્ત્વ છે. તે ચિત્તને જીતે એટલે કે ચિત્તમાં એક ભગવાન વિના કોઈ આકારમાત્ર ન રહે ત્યારે મહત્તત્ત્વનું આવરણ ગયું જાણવું. ને આઠમું આવરણ પ્રકૃતિનું છે. તે પ્રકૃતિ તે સ્વભાવ રૂપે વર્તવું તે છે. તે સ્વભાવને જીતે તો પ્રકૃતિનું આવરણ જીતાણું જાણવું. એમ આ આઠેય આવરણો એકાંતિકને ભગવાનના મારગમાં વિઘ્નરૂપ છે. (૨૩)

૧. સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન – કીર્તન મુક્તાવલી ૧/૫૧૨

પ્રકરણ/વાત: ૧૦/૨૮૭

Vat Selection


Type: Keywords Exact phrase