ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧

કથાવાર્તા

સત્સંગ આટલો વાતેથી થયો છે. એમ મહારાજે વાતુ કરવાનું પ્રતિપાદન કર્યું. તે દિવસથી અમે પ્રગટ પ્રમાણ મહારાજના સ્વરૂપના મહિમાની વાતો કરીએ છીએ. તે મહારાજે રહ્યા ત્યાં સુધી વાતુ જ કરી છે અને અમે પણ મહારાજની મરજી પ્રમાણે વાતુ કર્યા કરીએ છીએ. તે અમે એટલું બોલ્યા છીએ તે લખનાર હોય તો આ પૃથ્વી ને આકાશ બધે ભરાઈ જાય એટલા શબ્દ બોલ્યા છીએ. પણ સાંભળનાર જેવો પાત્ર તે પ્રમાણે ગ્રહણ કરે છે. (૩૫)

પ્રકરણ/વાત: ૧૫/૧૦૯

Vat Selection


Type: Keywords Exact phrase