અમૃત કળશ: ૧
કથાવાર્તા
જીવનો સ્વભાવ એવો છે જે, કાંઈ રમૂજ હોય કે નવીન જેવું હોય તે સાંભળ્યામાં ને જોવામાં પ્રીતિ વર્તે. ને નગરમાં કોઈક જનાવર આવ્યું તે વીસ વીસ ગાઉથી માણસ જોવા આવ્યાં ને આ ગામમાં ગેંડું આવ્યું છે તેને જોવા માણસ ઊભા જ છે. ડાહ્યા હોય તેને ભગવાનના જન્મકર્મ ગાઈને જ દિવસ કાઢવા. કથાવાર્તા વિના તો ભગવાનમાં જોડાતો જોડાતો વિષયમાં જોડાઈ જાય એવો જીવનો સ્વભાવ છે. (૩૪)
પ્રકરણ/વાત: ૧૪/૧૫૮