અમૃત કળશ: ૧
કથાવાર્તા
કથામાં ને વાતુમાં ઊંઘ આવે છે, તે શું જે, આપણે શ્રદ્ધા નથી. જેમ ધારણું ગણે છે ને માપારો દાણા ભરે છે૧ ને ભૂખ્યો ને તરસ્યો સાંજ સુધી ખળામાં રહે છે તેવી લગની આપણે ભગવાન ભજવામાં નથી. (૩૩)
૧. કપાસ કે ગોળ જોખતી વખતે કાંટા પર ઉભેલ માણસ ધારણ ગણે તે વારે વારે બોલ્યા કરે. એ જ રીતે દાણાનો માપનારો માપ ગણે.
પ્રકરણ/વાત: ૧૪/૧૪૪