સ્તોત્ર સિન્ધુ

૧૪. શ્રીહરિ મહિમાષ્ટકમ્

સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી (ઇન્દ્રવજ્રા-ઉપજાતિ વૃત્તમ્)

શ્રીધર્મ-સદ્મન્યવતીર્ય વિષ્ણુ –
  ર્યો વાસુદેવો હરિકૃષ્ણ ઈશઃ ।
શ્રીનીલકંઠોઽત્ર પુનાતિ મર્ત્યાન્
  ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥૧॥

ધર્મના ઘરમાં અવતાર લઈને, વિષ્ણુ રૂપે, વાસુદેવ રૂપે, હરિકૃષ્ણ રૂપે તેમ જ નીલકંઠ રૂપે પ્રસિદ્ધિ પામેલા, વળી જે આ લોકમાં મનુષ્યોને પવિત્ર કરે છે એવા ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયમાં ધ્યાન ધરું છું. (૧)

યસ્ય સ્વરૂપે તિલ-લક્ષણાનિ
  સ્વભક્તચેતાંસિ હરન્તિ યદ્વત્ ।
અયાંસિ ચાકર્ષમણિ – પ્રવેકા
  ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥૨॥

ઉત્તમ લોહચુંબક (પોતાની શક્તિ વડે) જેમ બીજા લોખંડને ખેંચી લે છે, તેમ જેના સ્વરૂપમાં વિરાજતાં તિલાદિ લક્ષણો પોતાના ભક્તોનાં ચિત્તને હરી લે છે એવા ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયમાં ધ્યાન ધરું છું. (૨)

યસ્યાક્ષરે ધામનિ યત્પ્રસક્તાઃ
  ક્રીડન્તિ દિવ્યેઽક્ષર-સંજ્ઞમુક્તાઃ ।
સમ્રાટ્ તનૂજા ઇવ સર્વમાન્યા
  ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥૩॥

સર્વથી માનનીય એવા ચક્રવર્તીના યુવરાજોની જેમ જે શ્રીહરિના દિવ્ય અક્ષરધામમાં અને જે શ્રીહરિની મૂર્તિમાં અત્યંત આસક્ત એવા અક્ષરમુક્તો રમણ કરે છે, એ ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયમાં ધ્યાન ધરું છું. (૩)

યસ્યાસ્યપદ્મેઽદ્‌ભુતભૂરિ શોભે
  વસન્તિ નેત્રભ્રમરા જનાનામ્ ।
હંસા યથા માનસ – પદ્મવૃન્દે
  ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥૪॥

માનસ સરોવરનાં કમળોનાં વૃન્દમાં જેમ હંસો રહે છે તેમ જે ભગવાનના અત્યંત આશ્ચર્યકારક તેમ જ અત્યંત શોભાયમાન એવા મુખકમળ ઉપર ભક્તોના નેત્રરૂપી ભમરાઓ વસે છે એ ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયમાં ધ્યાન ધરું છું. (૪)

યઃ પોષયત્યત્ર નિજાન્ સ્વકીય-
  જ્ઞાનોપદેશેન સુધોપમેન ।
વત્સાન્ સુશીલા પયસા યથા ગૌર્
  ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥૫॥

જેવી રીતે સુંદર સ્વભાવવાળી ગાય પોતાના દૂધ વડે પોતાનાં વાછરડાંઓને પોષે છે, તેવી રીતે આ લોકમાં અમૃત જેવા પોતાના જ્ઞાનોપદેશ વડે જે ભક્તોને હંમેશાં પોષે છે એવા ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયમાં ધ્યાન ધરું છું. (૫)

પાખંડધર્મા હ્યુદયેન યસ્ય
  શાક્તા વ્યલીયન્ત યથોદિતેઽર્કે ।
ઘૂકા વૃષદ્વેષિણ એવ ચાન્યે
  ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥૬॥

જેમ સૂર્યના દ્વેષી ઘુવડો સૂર્યોદય થયે છતે આંધળા થઈ જાય છે, તેમ જેના જન્મથી ધર્મના વિરોધી પાખંડીઓ અને શક્તિપંથો નાશ પામી ગયા એવા ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયમાં ધ્યાન ધરું છું. (૬)

યત્પાદ - પદ્મેઽક્ષરમુક્ત – ચેતો
  ભૃંગા રમન્તે સરસીવ મીનાઃ ।
આસેવ્યમાને ભુવિ ભૂરિભક્તૈર્
  ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥૭॥

જેમ સરોવરમાં માછલીઓ રમે છે તેમ આ પૃથ્વી ઉપર અનેક ભક્તોથી સેવન કરાતા જેમનાં ચરણકમળમાં અક્ષરમુક્તોના મનરૂપી ભમરાઓ રમે છે એવા ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયમાં ધ્યાન ધરું છું. (૭)

યદીય – સૌન્દર્ય – ગુણાદિપારં
  શેષાદયો યાન્તિ ન યસ્ય ભક્તાઃ ।
વાંછન્તિ નાપ્યક્ષર-સૌખ્યમન્તર્
  ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥૮॥

જે ભગવાનના સૌંદર્યાદિ ગુણોના પારને શેષનાગ વગેરે પણ પામતા નથી, એટલા જ માટે જે ભગવાનના ભક્તો અક્ષરધામના સુખને પણ ચાહતા નથી એવા ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયમાં ધ્યાન ધરું છું. (૮)

Stotra Selection

૧. રુચિર સ્તોત્રમ્ - સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામી

૨. શ્રીધર્મનન્દન અષ્ટકમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૩. શ્રીગુરુભજન સ્તોત્રમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૪. શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૫. શ્રીનીલકંઠ ચિન્તનાષ્ટકમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૬. શ્રીધર્મનન્દન સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૭. શ્રીધાર્મિક સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૮. ભજનાષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૯. પ્રાતઃસ્મરણાષ્ટકમ્ - શ્રી ગિરિજાશંકર શાસ્ત્રી

૧૦. દિવ્યપતિ અષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૧૧. શ્રીહરિ ધ્યાનસ્તોત્રમ્

૧૨. શ્રીવૃષનન્દનાષ્ટકમ્ - શ્રી અચિન્યાનંદ બ્રહ્મચારી

૧૩. માનસ ચિન્તય - સદ્‌ગુરુ નિષ્કામાનંદ બ્રહ્મચારી

૧૪. શ્રીહરિ મહિમાષ્ટકમ્ - સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી

૧૫. અક્ષરબ્રહ્મ સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૧૬. શ્રીપ્રાગજીભક્ત મહિમાષ્ટકમ્ - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

૧૭. શ્રીશાસ્ત્રિજીમહારાજ પ્રણામાષ્ટકમ્ - પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ

૧૮. શ્રીયોગિજીમહારાજ વન્દનાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૧૯. શ્રીપ્રમુખસ્વામિમહારાજ મહિમાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૨૦. શ્રીમહન્તસ્વામિમહારાજાષ્ટકમ્ - સાધુ શ્રુતિપ્રકાશદાસ

અક્ષર મંદિર–ગોંડલના યોગીસ્મૃતિ મંદિરે નિત્ય થતી પ્રાર્થના–સ્તુતિ