કીર્તન મુક્તાવલી
ભગવાન કરે તે ભલા માટે
૧-૫૮૮: અજાણ્ય
Category: ઉપદેશનાં પદો
ભગવાન કરે તે ભલા માટે, મન શોક કરે તું શા માટે... ૧
મોહ વિવશ થઈ માનવ ભૂલે, આથડી મરે અવળી વાટે... ૨
સાચું જ લઈને સાચું જ દેવું, એ જ નિયમ હરિના હાટે... ૩
‘શંકર’ શ્યામ સ્વરૂપ ઉર ધારી, વહેતા જ્ઞાન તણાં ઘાટે... ૪
Bhagwān kare te bhalā māṭe
1-588: unknown
Category: Updeshna Pad
Bhagwān kare te bhalā māṭe,
man shok kare tu shā māṭe... 1
Moh vivash thaī mānav bhule,
āthḍī mare avḷī vāṭe... 2
Sāchu ja laīne sāchu ja devu,
e ja niyam Harinā hāṭe... 3
‘Shankar’ Shyām swarūp ur dhārī,
vahetā gnān taṇā ghaṭe... 4