કીર્તન મુક્તાવલી

ભગવાન કરે તે ભલા માટે

૧-૫૮૮: અજાણ્ય

Category: ઉપદેશનાં પદો

ભગવાન કરે તે ભલા માટે, મન શોક કરે તું શા માટે... ૧

મોહ વિવશ થઈ માનવ ભૂલે, આથડી મરે અવળી વાટે... ૨

સાચું જ લઈને સાચું જ દેવું, એ જ નિયમ હરિના હાટે... ૩

‘શંકર’ શ્યામ સ્વરૂપ ઉર ધારી, વહેતા જ્ઞાન તણાં ઘાટે... ૪

Bhagwān kare te bhalā māṭe

1-588: unknown

Category: Updeshna Pad

Bhagwān kare te bhalā māṭe,

 man shok kare tu shā māṭe... 1

Moh vivash thaī mānav bhule,

 āthḍī mare avḷī vāṭe... 2

Sāchu ja laīne sāchu ja devu,

 e ja niyam Harinā hāṭe... 3

‘Shankar’ Shyām swarūp ur dhārī,

 vahetā gnān taṇā ghaṭe... 4

loading