કીર્તન મુક્તાવલી
મન માની મોહન તારી મૂરતિ રે
૧-૩૮૦: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
મન માની મોહન તારી મૂરતિ રે;
એક નિમિષ ન મેલું (મારા) ઉરથી રે ꠶ટેક
મુને નેહડો જણાણો તારા નેણમાં રે,
રઢ લાગી ન ભૂલું દિન રેણમાં રે... મન꠶ ૧
જોયું રૂપ તારું રળિયામણું રે,
બીજું સરવે થયું અળખામણું રે... મન꠶ ૨
હું તો ગરક થઈ તારા ગીતમાં રે,
ચડ્યો કેફ અલૌકિક ચિત્તમાં રે... મન꠶ ૩
પિયા પ્રેમેથી સેજડી પધારજો રે,
બ્રહ્માનંદને ઘડી મા વિસારજો રે... મન꠶ ૪
Man mānī Mohan tārī mūrti re
1-380: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Man mānī Mohan tārī mūrti re;
ek nimish na melu (mārā) urthī re...
Mune nehḍo jaṇāṇo tārā neṇmā re,
Raḍh lāgī na bhulu din reṇmā re... man 1
Joyu rūp tāru raḷiyāmaṇu re,
Bīju sarve thayu aḷkhāmaṇu re... man 2
Hu to garak thaī tārā gītmā re,
Chaḍyo kef alaukik chittmā re... man 3
Piyā premethī sejḍī padhārjo re,
Brahmānandne ghaḍī mā visārjo re... man 4