કીર્તન મુક્તાવલી

વાત હેતની હૈયે ધારજો રે સમજીને સુજાણ

૧-૧૦૫૫: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૨૪

વાત હેતની હૈયે ધારજો રે, સમજીને સુજાણ;

કામ પડે એ વિચારજો રે, તો થાશે કલ્યાણ... ૧

પ્રભુજીનાં પદ પામવા રે, આ છે સુંદર સાર;

વડાં વિઘનને વામવા રે, પામવા બેડો પાર... ૨

કહ્યું લગાડીને કડવું રે, લીમથી ઘણું લાખ;

એમ કહીને નો’તું લડવું રે, સહુ પૂરશે સાખ... ૩

કોઈ વીંધે આવી કાનને રે, કરીને કળ છળ;

પણ સમજો તેના તાનને રે, પે’રાવશે કુંડળ... ૪

રૂડું આપણી જે રીતનું રે, શોધી કહ્યું સાર;

કહ્યું નિષ્કુળાનંદે હિતનું રે, સારું સુખ દેનાર... ૫

Vāt hetnī haiye dhārjo re samjīne sujāṇ

1-1055: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 24

Vāt hetnī haiye dhārjo re, samjīne sujāṇ;

 Kām paḍe e vichārjo re; to thāshe kalyāṇ... 1

Prabhujīnā pad pāmvā re, ā chhe sundar sār;

 Vaḍā vighan ne vāmvā re, pāmvā beḍo pār... 2

Kahyu lagāḍīne kaḍvu re, līmthī ghaṇu lākh;

 Em kahīne no’tu laḍvu re, sahu pūrshe sākh... 3

Koī vīndhe āvī kānne re, karīne kaḷ chhaḷ;

 Paṇ samjo tenā tān ne re, pe’rāvshe kunḍaḷ... 4

Rūḍu āpṇī je rītnu re, shodhī kahyu sār;

 Kahyu Nishkuḷānande hitnu re, sāru sukh denār... 5

loading