કીર્તન મુક્તાવલી
મારે લગની લાગી છે ઘનશ્યામની જી હો
૨-૯૦૨૧: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
મારે લગની લાગી છે ઘનશ્યામની જી હો,
નહીં રે ડરું લોક લાજથી રે;
મારે રટના લાગી છે એના નામની જી હો,
નિર્ભે થઈ હું તો આજથી રે... મારે લગની
મારા પ્રાણના જીવન ઘનશ્યામ છે,
મારે સુખ સંપત એનું નામ છે જી હો... નહીં રે
મારે એક આશા છે ઘનશ્યામની,
હું તો માળા જપું છું એના નામની જી હો... નહીં રે
મારે સર્વસ્વ શ્રી ઘનશ્યામ છે,
મારે એ વિના બીજું હરામ છે જી હો... નહીં રે
મારે ઈષ્ટ ઘનશ્યામ સુખધામ છે,
પ્રેમાનંદ જોઈ પુરણકામ છે જી હો... નહીં રે
Māre laganī lāgī chhe Ghanshyāmnī jī ho
2-9021: Sadguru Premanand Swami
Category: Murtina Pad
Māre laganī lāgī chhe Ghanshyāmnī jī ho,
Nahī re ḍaru lok lājthī re;
Māre raṭanā lāgī chhe enā nāmnī jī ho,
Nirbhe thaī hu to ājthī re... Māre lagaṇī
Mārā prāṇnā jīvan Ghanshyām chhe,
Māre sukh sampat enu nām chhe jī ho... Nahī re
Māre ek āshā chhe Ghanshyāmnī,
Hu to māḷā japu chhu enā nāmnī jī ho... Nahī re
Māre sarvasva Shrī Ghanshyām chhe,
Māre e vinā bīju harām chhe jī ho... Nahī re
Māre īṣhṭa Ghanshyām sukhdhām chhe,
Premānand joī puraṇkām chhe jī ho... Nahī re