વચન વિધિ

કડવું – ૯

આજ્ઞા ઉલ્લંઘી શઠ સુરપતિજી,1 ગૌતમ ઘરમાંયે કરી ગતિજી

તેણે દુઃખ પામ્યો અંગમાંયે અતિજી,2 રહ્યું નહિ સુખ શરીરમાં રતિજી

સુખ શરીરે શાનું રહે, લોપી અવિનાશીની આગન્યા ॥

શચી3 સરખી ત્રિયા તજી, રાચ્યો અહલ્યા રૂપે વિવેક વિના ॥૨॥

પુરંદરને4 ઋષિપતની, ભોગવવું એ ભલું નહીં ॥

પણ અમરેશના5 અભિમાનમાં, ખોટની ખબર નવ રહી ॥૩॥

એવી અવળાઈ જોઈ ઇન્દ્રની, આપ્યો શાપ ઋષિએ રોષમાં ॥

કહ્યું સહસ્ર6 ભગ7 પામી પુરંદર, રે’ જે સદા સદોષમાં ॥૪॥

પરણીને ઘરુણી8 ઘણી રાખે, તોય ન થાય આજ્ઞા લોપ ॥

અવર નારી એકમાં પણ, થયો ઋષિનો કોપ ॥૫॥

વળી ભૂંડાં દુઃખને ભોગવવા, કર્યો કમળના વનમાંઈ વાસ ॥

જ્યાં જ્યાં હતી એની કીરતિ, ત્યાં ત્યાં થાવા લાગી હાસ ॥૬॥

એમ વચન લોપે જો લજ્જા રહે, તો કોણ માને વચનને ॥

મહાપ્રભુની મરજાદ મૂકી, સહુ વરતે ગમતે મનને ॥૭॥

મનમાને રે’તાં મોટપ્ય મળે, તો કોણ વેઠે વચનનું દુઃખ ॥

નિષ્કુળાનંદ તો નર અમર, વર્તે હરિથી સહુ વિમુખ ॥૮॥

કડવું 🏠 home