વચન વિધિ

કડવું – ૨૫

હરિ રાજી કરવા હોય હૈયે હામજી, તો સંત સંગે હેત રાખો આઠું જામજી

સંત છે સર્વ સુખના ધામજી, તેહ વિના કેદિયે ન સરે કામજી

કામ ન સરે સતસંગ વિના, ત્યારે તેને જ સોંપવા પ્રાણ ॥

મન કર્મ વચને કરી, થઈ રે’વા સંતના વેચાણ ॥૨॥

આ લોક પરલોકમાં પડે, જાણો જરૂર જેનું કામ ॥

તેને સંગાથે કેમ ત્રોડિયે, જાણી સદાય સુખનું ધામ ॥૩॥

વિવાદ કરી કેમ વદીએ,1 અતિ વચન અકડથી2

જેને ફળે ફૂલે દળે દુઃખ ટળે, તે તરુ ન છેદિયે થડથી ॥૪॥

જે બારણેથી બંધ છૂટિયે, તે બંધ ન કરિયે બારણું ॥

જેને આધારે જીવિયે, તેને ન કરિયે મારણું ॥૫॥

જેમ કોઈ રાખે અન્ન પર રૂસણું,3 વળી વારિશું રાખે વેર ॥

તે જન એમ નથી જાણતો, જે હું જીવીશ તે કઈ પેર ॥૬॥

એમ સંત સાથે રાખી શત્રુતા, વળી કરે સુખની આશ ॥

તે દિન થોડે દુઃખ પામશે, કાં કરતો નથી તપાસ ॥૭॥

મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે રોષ ॥

નિષ્કુળાનંદ કહે એ નહિ બને, રખે દેતા કોઈને દોષ ॥૮॥

કડવું 🏠 home