સ્નેહગીતા

પદ ૮

રાગ ગોડી (‘પ્રાણ મ રે’જો પ્રીતમ વિના’ એ ઢાળ)

શ્રીનાથ સાથે મન માનિયું, ઉદ્ધવ એ વિના અમે ન રહેવાયે હો ।

વાલાને વિયોગે વીતે પળ વળી, તેતો જુગ તુલ્ય જાયે હો... શ્રીનાથ꠶ ॥૧॥

સુતાં બેઠાં સાંભરે છે સલુણો, સુખકારી શ્યામ સદાયે હો ।

ખાતાં પીતાં ખટકે હૃદયે, અલબેલો અંતરમાંયે હો... શ્રીનાથ꠶ ॥૨॥

દર્શન વિના જે દલડું દાઝે છે, તે તો કેને ન કહેવાયે હો ।

અવર કોયે ઓષડ ઉસતાદે,1 શરીર સુખ નવ થાયે હો... શ્રીનાથ꠶ ॥૩॥

પ્રેમના પાશમાં પાડી ઉદ્ધવ અમને, ઘેરીને માર્યું છે ઘાયે હો ।

નિષ્કુળાનંદના નાથે નથી રાખ્યો, ઊગરવાનો ઊપાયે હો... શ્રીનાથ꠶ ॥૪॥ પદ ॥૮॥

કડવું 🏠 home