સ્નેહગીતા

પદ ૬

રાગ: આશાધોળ (‘નવલ સનેહી નાથજી જી રે પ્રેમીજનના’ એ ઢાળ)

ના’વ્યો સંદેશો નાથનો (૨) જી રે; જુવતી જોતાં જો વાટ (૨)

આ શું થયું રે આપણે । આ શું થયું રે આપણે જી રે,

   પ્રાણ રહે છે શા માટ (૨) ના’વ્યો꠶ ॥૧॥

બાઈ મીન મરે જળ મૂકતાં (૨) જી રે, ધન્ય એ પ્રીત પરમાણ (૨)

પિયુ વિયોગે પ્રમદા । પિયુ વિયોગે પ્રમદા જી રે,

   પાપી રહ્યા કેમ પ્રાણ (૨) ના’વ્યો꠶ ॥૨॥

કુંજતણાં બાઈ બાળકાં (૨) જી રે, જુવે વાટ ષટ માસ (૨)

અવધે1 ન આવે જો જનની । અવધે ન આવે જો જનની જી રે,

   તજે તન થઈ નિરાશ (૨) ના’વ્યો꠶ ॥૩॥

જીવન વિના જે જીવવું (૨) જી રે, એ તો અણઘટતી વાત (૨)

નિષ્કુળાનંદના નાથ વિના । નિષ્કુળાનંદના નાથ વિના જી રે,

   પંડડું2 નવ થયું પાત3 (૨) ના’વ્યો꠶ ॥૪॥ પદ ॥૬॥

કડવું 🏠 home