સ્નેહગીતા

કડવું ૧૦

વેગળાં ગયા વિના પ્રીત ન પ્રિછાયજી, વાલ્યમે વિચાર્યું એવું મનમાંયજી ।

અલબેલે માંડ્યો પછી એહ ઉપાયજી, અક્રૂર આવિયા તેહ સમે ત્યાંયજી ॥૧॥

તેહ સમે અક્રૂર આવ્યા, અને રથ લઈ રૂડા રૂપને ।

રામ કૃષ્ણને તેડવાને, મોકલ્યો કંસાસુર ભૂપને ॥૨॥

આવીને છોડ્યો આંગણે, નંદરાયને નિરધાર ।

ગોપી વળી ટોળે મળી, વળી કરે છે વિચાર ॥૩॥

આ દિન મોર્યે આવો કોઈ, નંદ ભુવને નથી જો આવિયો ।

બાઈ ગામ નામ પૂછો એહનું, આ શે અર્થે રથ લાવિયો ॥૪॥

બાઈ સગો નહિ એ શત્રુ છે, કોઈ નંદ યશોદા ગોપને ।

નિશ્ચે કાંઈક નવું નિપજશે,1 તમે દેખજો દૈવના કોપને ॥૫॥

જાવો બાઈ જુવો જૈને, સુણજો વળી એની વાતડી ।

વા’લો થઈ કોઈ વૈરી વસે, આવ્યો એ કરવા ઘાતડી2 ॥૬॥

કોરે તેડી બાઈ કૃષ્ણને, વળી વાત કરો વાલપ વડે ।

હેત દેખાડી રાખો સંતાડી, જે નજરે એને નવ પડે ॥૭॥

વ્રજજનનું3 જીવન જેહી, તેની જતન ઝાઝી કીજિયે ।

વિઘન માંયથી વા’લી વસ્તુ, બાઈ બચાવિને લીજિયે ॥૮॥

એમ આકુળ વ્યાકુળ થાય અબળા, માંહોમાંહિ મનસુબો કરે ।

આ તો આવ્યો કાળરૂપે કોય, રખે પ્રાણ બાઈ આપણા હરે ॥૯॥

પછી ગોપીયે તેની ગમ્ય4 કાઢી, બાઈ અક્રૂર એનું નામ છે ।

નિષ્કુળાનંદના નાથ સાથે, કાંઈક એને કામ છે ॥૧૦॥ કડવું ॥૧૦॥

કડવું 🏠 home