સારસિદ્ધિ

કડવું - ૬

રાગ: ધન્યાશ્રી

વૈરાગ્ય વિના વિધિલોકથી1 વિધિજી,2 સુતા સ્પર્શની ઇચ્છા ઉર કીધીજી ।

વૈરાગ્ય વિના પિનાકી3 પરસિદ્ધિજી, મોહિનીને મીટે4 જોવા લક5 લીધીજી ॥૧॥

રાગ: ઢાળ

લક લીધી તક નવ તપાસી, વૈરાગ્ય વોણું6 વગોણું થયું ।

હતા અખંડ આત્મદરશી, પણ એ સમે એવું નવ રહ્યું ॥૨॥

વળી પુરંદર7 વૈરાગ્ય પખી, માગ્યાં અસ્થિ8 ગર્યો ઋષિ ઘરમાં ।

વૈરાગ્ય વિના વિબુધ9 વિલખે, સદા રહી સુખના ભરમાં10 ॥૩॥

વૈરાગ્ય વિના વિધુ11 વ્યાકુલ થઈ, જઈ હરી ગુરુની પતની ।

વૈરાગ્ય વિના જુવો વિચારી, સારી વાત તે શું બની ॥૪॥

વૈરાગ્ય વિના અંગે અંધારું, રહી ગયું અર્કને અપાર ।

પરણ્યા વિના પતની કરી, તેનો ઉર ન આવ્યો વિચાર ॥૫॥

નારદ પારાશર સૌભરી, ભૂલી ગયા વૈરાગ્ય વિના વાત ।

એકલશૃંગી અરણ્યમાં,12 થઈ વણ વૈરાગ્યે ઘાત13 ॥૬॥

પાંડવ ભક્ત પ્રમાણિયે, પણ વણ વૈરાગ્યે વસાવ્યું વેર ।

કૌરવ કુળ નિર્મૂળ કર્યું, તેની મને આવી નહિ મે’ર ॥૭॥

વૈરાગ્ય વિના ચિત્રકેતુ, પરણિયો પત્નીયો કોટ ।

આગ્નીધ્ર14 યયાતિ જેવે, વણ વૈરાગ્યે ભોગવી ખોટ ॥૮॥

બ્રહ્મા આદિ કીટ પર્યંત, વણ વૈરાગ્યે વિકળ થયા ।

ત્યારે બીજાનું નવ બોલવું, જે પશુવત પામર રહ્યાં ॥૯॥

વૈરાગ્ય વિના વિષય સુખનો, અંતરે ન થાય અભાવ ।

નિષ્કુળાનંદ નિરવેદ વિના, રૂઝે15 નહિ વિષયના ઘાવ ॥૧૦॥

કડવું 🏠 home