સારસિદ્ધિ

કડવું - ૩૨

જ્ઞાની તેહ જેને હરિની ગમજી, નથી જેને નાથની મૂર્તિ અગમજી

નખશિખા નીરખી કરી છે સુગમજી, ના’વે કોઈ એવા સંતની સમજી

સંત સમાન તે શું કહિયે, જેને અખંડ મૂર્તિ છે ઉર ॥

જોઈ જોઈ જોયું જીવમાં, એની જોડ્યે ન જડ્યું જરૂર ॥૨॥

કામદુઘા કહું શી કલ્પતરુ, કહું નવ નિધિ સિદ્ધિ સમિત1

પારસ કહું કે ચિંતામણિ, વજ્રમણિ ઘણી કહું સિત2 ॥૩॥

અર્કમણિ3 કે કહું ઇંદુમણિ,4 ઘણી ઉપમા દઉ અમૃતની ॥

જે જે કહું તે જોખે5 ભર્યાં, આપું ઉપમા કૈ પ્રતની6 ॥૪॥

જેણે અંતરમાં અખંડ રાખ્યા, અલબેલોજી અવિનાશ ॥

રાજી થઈને હરિ રહ્યા, દોષે રહિત દેખી નિજદાસ ॥૫॥

જેમ પંચાનનીપય7 રે’વા પાત્ર, જોઈએ સોળવલું સુવર્ણ ॥

એમ હરિને રે’વાતણું, શુદ્ધ જનનું અંતઃકર્ણ ॥૬॥

જેમ જગજીવનના8 જળ જાણો, નથી રે’તું ખાંમા9 વિના ખમી ॥

તેમ હરિજનનું અંતર, ગયું છે હરિને ગમી ॥૭॥

જેમ સુગંધી રહી છે શ્રીખંડ10 માંય, રહ્યો ઇક્ષુ11 માંહિ જેમ રસ ॥

તેમ હરિજનમાંહિ હરિ, હળી મળી રહ્યા એક રસ ॥૮॥

જેમ ચમક12 ઉત્તર મુખનો, રહે ઉત્તર દિશ પર મુખ ॥

તેમ હરિ હરિજન સામા રહે, સદાયે આપવા સુખ ॥૯॥

એમ સાચા સંતની સનમુખ, સદાય રહે છે શ્રીહરિ ॥

નિષ્કુળાનંદ કહે કાચા કોયે, ન હોય સુખિયા એ સુખે કરી ॥૧૦॥

કડવું 🏠 home