હરિસ્મૃતિ
ગ્રંથનો મહિમા
ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે, “જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે, ભગવાની મૂર્તિ છે તે તો ચિંતામણિ તુલ્ય છે.” (ગઢડા પ્રથમ પ્રકરણ ૧)
“એવી રીતે જે ભગવાનનાં ચરણારવિંદને વિષે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે.” (ગઢડા અંત્ય પ્રકરણ ૭)
અખંડ વૃત્તિ સિદ્ધ કરવા માટે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જેવી રીતે શ્રીહરિને નીરખ્યા હતાં તેનું વિવિધ રીતે આ ગ્રંથમાં વર્ણન કર્યું છે; તે માટે હરિસ્મૃતિ ગ્રંથ અતિ અદ્ભુત છે.
ભગવાનની મૂર્તિને ચિંતામણિ તુલ્ય કહી છે, માટે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથના અધ્યાયોનું નામ ‘ચિંતામણિ’ આપ્યું છે. આ ગ્રંથમાં સાત ચિંતામણિ તથા કુલ મળીને ૩૫૧ કડીઓ છે.