પ્રકરણ - ૬૮: ગઢડામાં સંતો સાથે જ્ઞાન ગોષ્ઠિ

પૂર્વછાયો પછી મુક્તાનંદજીએ, પૂછ્યું પ્રભુને પ્રશન;
નાથ તમારું ગમતું જે, હોય તે કરિએ સાધન. ૪
પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો સર્વે જન;
જ્યારે પ્રભુને પામિયે, ત્યારે સર્વે થયાં સાધન. ૫
પછી જે જે કરવું, તેહની તે કહું વાત;
ગુરુ સંતને ભજવા, શ્રીહરિ જે સાક્ષાત. ૬
ચૈતન્ય ચૈતન્ય એક નહિ, ઇન્દ્રિય મન જીવ ઈશ્વર;
એક એકથી અધિક એહ, તેથી પર પરમેશ્વર. ૭
સંત અસંત એક નહિ, તે વિવેકબુદ્ધિ ધારવી;
મેં કરી જે લીલા અલૌકિક, તેને વારમવાર સંભારવી. ૮
મારા જનને અંતકાળે, જરૂર મારે આવવું;
બિરુદ મારું એ ન બદલે, તે સર્વે જનને જણાવવું. ૯
દાસના દાસ થઈને, વળી જે રહે સતસંગમાં;
ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. ૧૦
મારા લોક મારી મૂરતિ, તે સત્ય નિર્ગુણ છે સહિ;
તેને અસત્ય જે જાણશે, તે નાસ્તિક મારા નહિ. ૧૧
મારું ધાર્યું અસત્ય સત્ય થાય છે, સમરથ મારું નામ સહિ;
મારી દ્રષ્ટિએ જક્ત ઊપજે સમે, અનેક રૂપે માયા થઈ. ૧૨
પ્રકટ રૂપે સતસંગમાં, રહું છું રૂડી પેર્ય;
વળી અવનિએ અવતાર લહું, નૃપ યોગી વિપ્રને ઘેર્ય. ૧૩
જન એટલું એ જાણવું, જે કહી તમને વાત;
નિઃશંક રહો નાથ કહે, સુણી જન થાય રળિયાત. ૧૪
પછી જનને જમાડવા, પાક કરાવિયા બહુ પેર્ય;
સુંદર આસન આલિયાં, સંત બેસાર્યા તે ઉપર્ય. ૧૫
જમી જમીને જન સરવે, પરિપૂરણ પોતે થિયા;
પછી દૂધ સાકર દોવટે, દેવા આપે આવિયા. ૨૦
લીયે ન લીયે દિયે પરાણે, હરિ પીરસે હાથડે;
ના ના પાડે ઠામ સંતાડે, તેને તે રેડે માથડે. ૨૧

Selection

પ્રકરણ ૧: ગ્રંથલેખનના પ્રારંભમાં મહારાજની સહાય માગતા કહે છે પ્રકરણ ૨: સંતની સહાય માગતા વર્ણવેલ સંતમહિમા પ્રકરણ - ૩: ગ્રંથ લખવાનો ઉત્સાહ જણાવે છે પ્રકરણ - ૫: નરનારાયણ ૠષિનાં દર્શને ગયેલા ૠષિઓને પ્રથમ એકલા નરૠષિનાં દર્શન થાય છે ત્યારે ૠષિઓ કહે છે પ્રકરણ - ૧૩: રામાનંદસ્વામી ધર્મપિતાને કુસંગનો સૂક્ષ્મભેદ સમજાવે છે પ્રકરણ - ૪૧: રામાનંદસ્વામીને મુક્તાનંદસ્વામી નીલકંઠવર્ણીનો મહિમા પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૨: નીલકંઠવર્ણી સ્વવૃત્તાંત રામાનંદસ્વામીને પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૬: ગાદી સ્વીકારવાની ના પાડતા વર્ણી રામાનંદસ્વામીને ભયસ્થાન જણાવે છે પ્રકરણ - ૪૮: રામાનંદસ્વામીના ધામમાં ગયા બાદ પ્રથમ ધર્મસભામાં મહારાજે કરેલ વાત પ્રકરણ - ૪૯: સમાધિપ્રકરણ અંગે મુક્તાનંદસ્વામીની દ્વિધા પ્રકરણ - ૫૧: પરમહંસોને બાવાવેરાગી અતિ ત્રાસ આપતા તે પ્રસંગે પ્રકરણ - ૫૩: પાંચસો પરમહંસ બનાવ્યા પછી શ્રીહરિએ આપેલો ઉપદેશ પ્રકરણ - ૬૧: જેતલપુર યજ્ઞમાં મહારાજે જણાવેલ યજ્ઞનું રહસ્ય પ્રકરણ - ૬૪: સારંગપુરમાં પુષ્પદોલોત્સવે રંગે રમ્યા બાદ પ્રકરણ - ૬૮: ગઢડામાં સંતો સાથે જ્ઞાન ગોષ્ઠિ પ્રકરણ - ૭૧: વરતાલમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રસંગે પ્રકરણ - ૭૬: જેતલપુરમાં રાત્રે એકાદશીમાં કરેલ વાત પ્રકરણ - ૭૭: નિષ્કુળાનંદ સ્વામીએ કહેલ લીલાનો મહિમા પ્રકરણ - ૭૯: વરતાલમાં કાર્તિક સુદ એકાદશીના સમૈયાની સભામાં કરેલ વાત પ્રકરણ - ૮૪: સંતો સાથે ગોષ્ઠિ પ્રકરણ - ૮૬: ગઢડામાં સંતોને વિદાય શીખ પ્રકરણ - ૯૭: સંતોને સંઘમાં સાથે રહેવાની વાત કરતા કહે છે પ્રકરણ - ૯૮: વરતાલમાં સંતોને કરેલ વાતનો સાર પ્રકરણ - ૧૦૨: ગ્રંથ લખતા વૃદ્ધાવસ્થામાં નિષ્કુળાનંદ સ્વામીને વિશેષ નહિ લખાય તેમ જણાતા અંતરના ઉદ્‌ગાર સરી પડે છે પ્રકરણ - ૧૦૪: મહારાજે પોતાના ભગવાનપણામાં કરેલી શંકા પ્રકરણ - ૧૦૫: પોતાના અનુભવની વાત કરતાં સંતોએ મહારાજનું સર્વોપરીપણું જણાવ્યું પ્રકરણ - ૧૦૭: નિર્લોભી વર્તમાન પ્રકરણ - ૧૧૦: નિર્માની વર્તમાન પ્રકરણ - ૧૬૪: ગ્રંથ સમાપ્તિમાં વર્ણવેલ પ્રગટનો મહિમા
loading